ચંદ્રયાન-3 – ભારતનું ત્રીજું ચંદ્ર મિશન હતું. ચંદ્રયાન-3 એ ચંદ્રની સપાટી પર ઉતરતાની સાથે જ ઈતિહાસ રચી દીધો. ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર અવકાશયાન લેન્ડ કરનાર પ્રથમ દેશ અને ચંદ્ર પર પહોંચનાર ચોથો દેશ બન્યો.
વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ લેવામાં આવેલી આ પ્રથમ તસવીર છે. લેન્ડરથી લીધેલા આ ફોટામાં તેનો પડછાયો દેખાય છે. આ સિવાય ચંદ્રની સપાટીની વધુ 4 તસવીરો લેવામાં આવી છે.

- ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર ભારત પહેલો દેશ, PMએ કહ્યું- હવે ચંદા મામા દૂર નથી
ચંદ્રયાન-3નું લેન્ડર સાંજે 6.04 કલાકે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. જે બાદ ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ચંદ્રયાન-3 ના લેન્ડરે સંદેશો મોકલ્યો – હું મારા લક્ષ્યસ્થાન પર પહોંચી ગયો છું અને ભારત પણ. ઈસરોના ડિરેક્ટર એસ. સોમનાથે આગામી 14 દિવસને આ મિશન માટે મહત્વપૂર્ણ ગણાવ્યા છે. દક્ષિણ આફ્રિકાના દેશવાસીઓને અભિનંદન આપતાં પીએમ મોદીએ કહ્યું- હવે ચંદા મામા દૂર નથી.
કેમ ચંદ્રયાન-3 ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવામાં આવ્યું?
ચંદ્રના ધ્રુવીય પ્રદેશો અન્ય પ્રદેશો કરતા ઘણા અલગ છે. અહીં એવા ઘણા વિસ્તારો છે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી અને તાપમાન -200 ડિગ્રી સેલ્સિયસથી નીચે જાય છે. આવી સ્થિતિમાં, વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે બરફના રૂપમાં હજુ પણ પાણી હાજર હોઈ શકે છે. 2008ના ચંદ્રયાન-1 મિશનએ ચંદ્રની સપાટી પર પાણીની હાજરી દર્શાવી હતી.
આ પણ જુઓ:

Chandrayaan-3 ચંદ્ર પર ભારત, ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ સફળતાપૂર્વક પૂર્ણ