Mukhyamantri Apprenticeship Yojana : ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યુવાનોને રાજ્યમાંથી આર્થિક સહાય મળશે. તેની સાથે તેમની સારી કારકિર્દી માટે તેમને વિવિધ ક્ષેત્રોની તાલીમ પણ મળશે.
20 મી ફેબ્રુઆરી 2018 ના રોજ રાજ્યના બજેટની રજૂઆત દરમિયાન , ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ યોજનાનો પ્રારંભ કર્યો હતો.
આ પણ જુઓ: માનવ કલ્યાણ યોજના 2023 | Manav Kalyan Yojna @e-kutir.gujarat.gov.in
એપ્રેન્ટીસશીપ યોજનાના ઉદ્દેશ અને હેતુઃ
શાળા છોડીગયેલા ઉમેદવારો/આઈ.ટી.આઈ. ડીપ્લોમા/ડીગ્રી પાસ ઉમેદવારોને ખાનગી કે જાહેરક્ષેત્રના ઔદ્યોગિક સેવાકીય એકમો ખાતેની On Job Training સુવિધાનો મહત્તમ લાભ આપી તેમને કૌશલ્ય કુશળ બનાવવા.
જુદા જુદા વ્યવસાયોમાં ઔદ્યોગિક/સેવાકીય એકમોના સહકારથી સૈધ્ધાંતિક તેમજ પ્રાયોગિક તાલીમ આપી ઉદ્યોગસેવાકીય એકમો માટેનું કુશળ માનવબળ ઉભું કરવું.
પ્રવેશ માટેની લાયકાતઃ
શૈક્ષણિક લાયકાત:
- લઘુત્તમ શૈક્ષણિક લાયકાત જુદા જુદા વ્યવસાયો (ટ્રેડ) માટે જુદી જુદી હોય છે.
- ધોરણ-૮ પાસથી સ્નાતક પાસ સુધીની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર આ યોજના હેઠળ નિયત વ્યવસાયોમાં (ટ્રેડ)માં તાલીમ મેળવી શકે છે.
- ઔદ્યોગિક/સેવાકીય એકમોમાં પોતાના એકમ ખાતે એપ્રેન્ટીસની ભરતી માટે નીચે મુજબના ઉમેદવારોની પસંદગી કરી શકે છે.
- આઈ.ટી.આઈ., ડીપ્લોમાં, ડીગ્રીપાસ થયેલ ઉમેદવાર
- ઉપરોક્ત (અ) મુજબની લાયકાત ન ધરાવતા પરંતુ ટ્રેડ માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર (ફેશર ઉમેદવાર)
આ પણ જુઓ: Vahali Dikri Yojana 2023 : દીકરીઓને મળશે રૂ. 1 લાખ 10 હજાર નો લાભ
વયમર્યાદા:
- સ્ત્રી કે પુરુષ કે જેઓ ૧૪ વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ના હોય, તેઓ એપ્રેન્ટીસશીપ તાલીમ યોજનામાં તાલીમ લેવા માટે જોડાઈ શકે છે. જોખમી પ્રકારના ઉદ્યોગોમાં ઓછામાં ઓછી ઉંમર ૧૮ વર્ષની રહેશે.
તાલીમનું માળખું
- એપ્રેન્ટીસશીપ તાલીમ યોજના અંતર્ગત એપ્રેન્ટીસોને (૧) બેઝિક તાલીમ અને (૨) ઓન જોબ તાલીમ લેવાની રહે છે.
મુખ્ય વિશેષતાઓ
- સ્ટાઈપેન્ડ વિગતો (નાણાકીય મદદ): આ યોજના હેઠળ દરેક પાત્ર ઉમેદવારને રૂ. 3000/- દર મહિને ઉદ્યોગના શ્રેષ્ઠ નોકરીદાતાઓ પાસેથી તાલીમ સાથે. આ તાલીમ રાજ્ય સત્તા દ્વારા આપવામાં આવશે.
- લાભાર્થીઓ (પાત્રતા માપદંડ): ફેક્ટરીઓ, હોસ્પિટલો, હોટલ અને બેંકો જેવા ખાનગી ક્ષેત્રોમાં નોકરી કરતા યુવાનોને આ યોજનાનો લાભ મળશે. લગભગ 1 લાખ યુવાનોને આ જોગવાઈ આપવામાં આવશે.
- પગાર અને સબસિડી: આ ઉલ્લેખિત રકમ રૂ. 3000/- થી રૂ. 1500/- ખાનગી ક્ષેત્રોમાં દરેક કર્મચારીને તેમના પગાર ઉપરાંત ચૂકવવામાં આવશે. આ સબસિડીની રકમ કર્મચારીઓને ખાનગી ક્ષેત્રોમાં કામ કરવા માટે ‘પ્રોત્સાહન’ તરીકે ગણવામાં આવે છે.
- એપ્રેન્ટિસશીપનો કાર્યકાળ: આ એપ્રેન્ટીસશીપની રકમ દરેક કર્મચારી માટે એક વર્ષ સુધી કર્મચારીઓને આપવામાં આવશે. જોડાવાના 12 મહિના સુધી કર્મચારીઓને માસિક ધોરણે આ પૈસા મળશે.
આવશ્યક દસ્તાવેજો
ઈચ્છુક ઉમેદવારોએ નીચે મુજબના દસ્તાવેજોની અસલા તેમજ ૧ સેટમાં ઝેરોક્ષ નક્લ સાથે રૂબરૂ આવવું.
- શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ
- શાળા છોડયાનું પ્રમાણપત્રની નકલ
- આધારકાર્ડની નકલ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- ૧૮ વર્ષથી નીચેના ઉમેદવારોએ પોતાના વાલીને સાથે લાવવા
- સંપર્ક : કોઈપણ ઉમેદવારો કે જેઓ એપ્રેન્ટીસ તરીકે જોડાવા ઈચ્છતા હોય, તેઓએ નજીકની આઈ.ટી.આઈ. જીલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.
- વધારે માહિતી માટે સંપર્ક કરોઃ કોલ સેન્ટરનો ટોલ ફ્રી નંબર : ૧૮૦૦-૨૫૮-૫૫૮૮
- www.employment.gujarat.gov.in (2) www.apprenticeship.gov.in
વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |