Sikshak Bharti Gujarat (25000+ Teacher Recruitment) : શું તમે શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. ગુજરાતમાં ટુંક સમયમાં 25 હજાર કરતાં વધુ નવા શિક્ષકોની ભરતી કરવામાં આવશે. શિક્ષણ નીતિને લઈને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. આ દરમિયાન તેમણે અનેક મહત્ત્વની વાતો જણાવી છે. તેમણે કહ્યુ છે કે, રાજ્યમાં એક પણ સરકારી શાળા સરકાર બંધ નથી કરવાની. આઠ અને દસ વિદ્યાર્થીઓ હશે તો પણ એ શાળા ચલાવવામાં આવશે.
આ ઉપરાંત રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યુ કે, રાજ્ય સરકાર 25,000 નવા શિક્ષકોની ભરતી કરશે. રાજ્યની સરકારી શાળાઓમાં 16000 નવા ઓરડાઓ બનાવવામાં આવશે. આ સાથે તેમણે વિદ્યાર્થીઓ માટે મહત્ત્વની જાહેરાત કરતા જણાવ્યુ કે, વિદ્યાર્થીઓને એક ગામથી બીજે ગામ અભ્યાસ માટે જવું હશે તેઓ સરકાર ગાડીની વ્યવસ્થાઓ પણ કરી આપશે.
આ પણ જુઓ –
- South Western Railway Recruitment : સાઉથ વેસ્ટર્ન રેલ્વેમાં 900 થી વધુ એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, વાંચો ખાલી જગ્યાની સંપૂર્ણ વિગતો
- big Bharti: ગુજરાતના દરેક જિલ્લા અને ગામમાં કોમ્પ્યુટર ઓપરેટર અને ક્લાર્ક જેવા પદો પર મોટી ભરતી, 8500 જગ્યાઓ ખાલી, ફટાફટ કરો અરજી
- Patadi Nagarpalika Bharti : પાટડી નગરપાલિકામાં વિવિધ પદો પર ભરતી, 7 પાસથી લઇને ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી
- Junior Clerk Bharti: ભારતીય વિદ્યા મંડળમાં જુનિયર ક્લાર્ક તથા લેબોટરી આસિસ્ટન્ટની ભરતી, 20 હજાર છે પગાર
રાજ્યમાં સરકારી શાળા બંધ કરવા અંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યુ કે, સરકારી શાળા બંધ કરવા માટે સરકારે એકપણ પગલું ભર્યું નથી. એકપણ સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય નથી લેવાના. જે ગામમાં વિદ્યાર્થીઓની સંખ્યા 8થી 10ની છે તેમને જો બાજુના ગામમાં 5 કે 10 કિમી દૂર જવું હોય તો તેમાં પણ એક યોજના છે કે, તેને મારૂતિવાન કે વાહનની સુવિધા પણ તેને આપવા અમે તૈયાર છીએ તેવું મહત્વની જાણકારી તેમને આપી હતી.