Yasasvi Scholarship 2023 : ધો. 9થી 12માં વિદ્યાર્થીઓને 1.25 લાખની મળશે શિષ્યવૃત્તિ, જાણો કેવી રીતે કરવી અરજી

Yasasvi Scholarship 2023 : વર્ષ 2023-24માં કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા શાળા-સંસ્થાઓમાં ધો.9 થી 12માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC) અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિઓ આપવામાં આવે છે.

આ શિષ્યવૃત્તિઓનું મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓને આગળ ભણવામાં આર્થિક મદદ મળી રહે. ધો.9 અને 10ના વિદ્યાર્થીઓની શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફીની રૂ. 75,૦૦૦ અને ધો.11 અને 12ના વિદ્યાર્થીઓને શાળાની ટ્યુશન ફી અને હોસ્ટેલ ફીની રૂ. 1,25,000- સુધી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.

શિષ્યવૃત્તિ મેળવવા માટે વિદ્યાર્થીઓની માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 2.50 લાખથી વધુ ન હોવી જોઇએ. આ શિષ્યવૃત્તિઓની માહિતી મંત્રાલય દ્વારા https://yet.nta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

આ યોજના અંતર્ગત અધિક જાણકારી અને અરજી કરવાની સંબંધિત વેબસાઇટ પર મેળવવી શકો છો.

વધુમાં, વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ પરીક્ષા આપવા ઇચ્છુક હોય તો ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તેમની વિગતોને આધાર કાર્ડના પ્રમાણે ભરવી. તેમને આધાર કાર્ડ નંબર, નામ, જન્મ તારીખ, સંસ્થા/શાળાનું નામ, ધો. અને વિભાગ, અભ્યાસક્રમ, સંબંધિત પરીક્ષાનું વિષય, અને અન્ય સુચનાઓ ભરવાની જરૂર પડશે.

જો વિદ્યાર્થી આધાર કાર્ડની વિગતો બરોબર ભરી નહીં હોય તો પ્રશ્ન ઉપસ્થિત થશે, તો તેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે. તેવી સ્થિતિમાં, વિદ્યાર્થી પરીક્ષા આપવામાં નિષ્ફળ જશે અને તેમને યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે National Testing Agency (NTA) દ્વારા તા. ૨૯ સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ OMR Based પરીક્ષા યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ યોજાનાર છે.

આ પરીક્ષાનું માધ્યમ અંગ્રેજી અને હિંદી રહેશે.વિદ્યાર્થીઓએ આગામી તા. ૧૦ ઓગષ્ટ -૨૦૨૩ સુધીમાં NTA Portal પરની https://yet.nta.ac.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI)) Umbrella Scheme હેઠળની Top Class School Education for OBC, EBC and DNT Students યોજના વર્ષ :૨૦૨૨-૨૩થી અમલી બનાવવામાં આવી છે. આ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ માટે યશસ્વી એન્ટ્રન્સ ટેસ્ટ-૨૦૨૩ યોજવામાં આવનાર છે. આ યોજના હેઠળ લાભ મેળવવા માટે વર્ષ ૨૦૨૩-૨૪માં મંત્રાલય દ્વારા પસંદ કરાયેલ શાળા/સંસ્થામાં અભ્યાસ કરતા ફક્ત ધોરણ ૯ અને ધોરણ ૧૧ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC),અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. 

આ પરીક્ષા માટે ઉમેદવારોએ કોઇ પરીક્ષા ફી ચૂકવવાની જરૂર નથી. આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા-શાળાઓની યાદી અને પરીક્ષા સંબંધિત માહિતી https://yet.nta.ac.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

મહત્વપૂર્ણ તારીખ

પરીક્ષા તારીખ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૩
ફોર્મ ભરવાની છેલ્લી તારીખતા. ૧૦ ઓગષ્ટ ૨૦૨૩

ઓનલાઇન ફોર્મ ભરવાની લીંક

ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો
વોટસએપ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
ટેલીગ્રામ ગ્રૂપ માં જોડાવા અહિયાં ક્લિક કરો
Google News માં ફોલો કરો અહિયાં ક્લિક કરો

Leave a Reply